GUJARATMAHISAGARSANTRAMPUR

કડાણા સિંચાઈ વિભાગ દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીની સમસ્યાને હાલ કરવા માટે કામગીરી આરંભ કરવામાં આવી

કડાણા સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ
ગરમીમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે કામગીરી આરંભવામા આવી.

રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર….

મહીસાગર જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતો ને સીચાઈનુ પાણી ખેતીવાડી માટે મલી રહે ને પશુઓને પીવા માટે પાણી ઉપલબ્ધ થાય તે માટે પાનમ સિંચાઇ વતૃળ કચેરી હસતક આવેલ કડાણા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 109 તળાવ સહિત બે નદીઓ અને 5 કોતરો માં પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

મહીસાગર માં ઉનાળો આકરો બન્યો છે જિલ્લામા પાણીની વ્યાપક બુમો ઊઠી રહી છે જિલ્લાના કડાણા સંતરામપુર અને ખાનપુર તાલુકામાં ઊનાળાની ધગધગતી ગરમી થી પાણીના સ્તર નીચા જતાં બોર-કૂવાઓમાં પાણી સૂકાઈ રહ્યું છે. ત્યારે સિંચાઈની વ્યવસ્થા માટે ખેડુતોની માંગ ઉગ્ર બની રહી છે..

ત્યારે ખેડુતોને ખેતી માટે ની સિંચાઈની પાણી ની સમસ્યા ન સર્જાય તે માટે કડાણા સિંચાઇ વિભાગ દ્રારા જિલ્લાના તળાવોમાં મહી નદીના નીર ઠાલવવાની કામગીરી કરવામાં આવી રહીછે.

 

કડાણા જળાશય યોજના આધારિત શિયાલ-શામળા ઉદવહન સિંચાઈ યોજના ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર તેમજ ખાનપુર પાદેડી જેવી 8 અલગ અલગ યોજનાઓ અંતર્ગત મહીસાગર જિલ્લાના 109 જેટલા તળાવો પાંચ કોતરો અને બે નદીઓમાં પાણી ભરવામાં આવી રહ્યા છે સિંચાઇ વિભાગ દ્રારા શિયાલ શામળા ઉદ્ધવહન યોજના હેઠળ 37. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર હેઠળ 28 ખાનપુર પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાથી ખાનપુર તાલુકાના 25 તળાવો અને 4 કોતર.મોરલનાકા બાબરી ઉદવહન સિંચાઈ યોજનાથી સંતરામપુર તાલુકાના 14 તળાવો અને 2 નદી. જ્યારે કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાથી સંતરામપુર તાલુકાના 5 તળાવોમાં પાણીથી ભરવામાં આવી રહ્યા છે.

આ સિવાય વરધરી સ્વરૂપ સાગર માંથી લુણાવાડા તાલુકાના ત્રણ ગામોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતા ખેડુતો અને પશુઓ માટે પાણીની રાહત જોવા મળી રહી છે તળાવોમાં પાણી ભરતા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ નાં સતરઉંચા આવશે
કાયૅપાલક ઈજનેર કડાણા સિંચાઈ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર

જિલ્લામા ખેડૂતોની સિંચાઈની સમસ્યા જોતા આ વર્ષે કડાણા જળાશય માંથી મોટાભાગના તળાવો ભરાઈ ગયા છે યોજના અંતર્ગત પાઈપલાઈન મારફતે બાકી રહેલ વિસ્તારમાં પણ પાણી પુરું પાડવા માટે અમારી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી અને ટુંક સમયમાં અન્ય તળાવો ભરી ખેડુતોને સિંચાઈની સમસ્યા હલ કરવામાં આવશે.

  1. કડાણા જળાશય આધારીત 8 જેટલી યોજનાઓ થકી તળાવો ભરવા 52 મિલિયન ક્યુબિક મીટર પાણી ઉપયોગમા લેવાશે 8575 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.
    * કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર થી કુલ 28 તળાવોમાં 15.MCM પાણી લિફ્ટ કરીને 3300 હેક્ટર. કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાથી 1.20 MCM પાણીથી 150 હેક્ટર જમીન શિયાલ શામળા ઉદ્દવહન યોજનાના 37 તળાવો મા 7.5 MCM પાણીથી 1225 હેકર મોરલનાકા બાબરી ઉદવહન સિંચાઈ યોજનાથી સંતરામપુર તાલુકાના 14 તળાવો અને 2 નદી 8.50 MCM પાણીથી 1100 હેક્ટર .ખાનપુર પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાથી 25 તળાવો અને 4 કોતર માટે 3.30 MCM પાણીથી 770 હેક્ટર સુજલામ સુફલામ યોજનાથી લુણાવાડા, વિરપુર અને બાલાસિનોર તાલુકાના 29 તળાવોમાં 16.05 MCM થી 1880 હેક્ટર સિંચાઈ નો લાભ મળી રહ્યો છે જ્યારે વરધારી સ્વરૂપ સાગરથી લુણાવાડા તાલુકાના ત્રણ તળાવ મારફતે 250 હેક્ટર જમીનને સિંચાઇ ની સુવિધા નો લાભ મળશે…

Back to top button
error: Content is protected !!