GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લાના ત્રણ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક

તા.૨૨/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ફોફળ ડેમ ૧૦૦ ટકા ભરાયો તથા ૦.૫ મીટરથી ઓવરફ્લો
Rajkot: રાજકોટ જિલ્લાના ત્રણ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયા મુજબ મોજ ડેમમાં ૦.૯૨ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૨૩ ફૂટ અને ફાડદંગ બેટી ડેમમાં ૩.૧૨ ફૂટ નવા નીર આવ્યા છે.
ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં આવેલા નીરના કારણે મોજ ડેમ ૯૪.૧૨ ટકા, ફોફળ ડેમ ૧૦૦ ટકા, ન્યારી-૨ ડેમ ૮૫.૦૯ ટકા અને ફાળદંગબેટી ડેમ ૬.૦૩ ટકા ભરાયો છે.
હાલ વેણુ-૨ ડેમના ત્રણ દરવાજા ૦.૩ મીટર, ફોફળ ૦.૫ મીટર ઓવર ફ્લો, આજી – ૨ ડેમનો એક દરવાજો ૦.૦૭૫ મીટર તથા ભાદર-૨ ડેમનો બે દરવાજા ૦.૨૨ મીટર ખુલ્લા છે

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93

