
રાજકોટ ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપર નો બ્રિજ 1967 માં બનાવવામાં આવ્યો હતો ત્યારથી આજદિન સુધી સમારકામ કરવામાં જર્જરિત ન આવતા બ્રિજ જર્જરિત થઈ ગયો છે,
ધોરાજીના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદી ઉપરનો બ્રિજ ધોરાજીથી ,જામકંડોરણા, દ્વારકા, જામનગર તરફ જવાનો માર્ગ હોવાથી અહીંયાંથી રોજના હજ્જારો વાહનો પસાર થતા હોય છે જેથી વાહન ચાલકોમાં ભય છે,કારણ કે બ્રિજ જર્જરિત ગયો છે,બ્રિજ ઉપર મસમોટા ગાબડાં પાડવા સાથે બિસ્માર હાલતમાં છે,તેમજ ભારે વરસાદ વરસે તો બ્રિજ ઉપર થી પણ પાણી વહેતુ હોય છે,સાથે જ તંત્ર દ્વારા બ્રિજ ઉપર સમારકામ જ કરવામાં નથી જેથી ક્યાંક તંત્ર પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા આક્ષેપ લોકો કરી રહ્યા છે,ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતા સમયે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે,ત્યારે વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે,




