
18 માર્ચ 2026
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના અલિયાબાડામાં આવેલ ગંગાજળા વિદ્યાપીઠમાં છેલ્લા ત્રણ દાયકાથી અધ્યાપક તરીકે પોતાની વિદ્યા અને વિદ્યાર્થીલક્ષી સેવાઓ આપી રહેલા નિષ્ઠાવાન અને કર્મનિષ્ઠ એવા ડો.રૂપલબેન માંકડને અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અધ્યાપક તરીકે સન્માનિત કરવામાં આવ્યા…ડો. રૂપલબેન માંકડને રાજ્યકક્ષાના પ્રધાન શ્રી દર્શનાબેન વાઘેલા, પદ્મશ્રી રતિલાલ બોરીસાગર સાહેબ અને મફતભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહ્યા અને સન્માનિત કરવામાં આવ્યા..
ડો. રૂપલબેન માંકડ હરહમેશ પોતાના વિધાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી પોતાની વિદ્યાર્થીલક્ષી સેવા આપે છે.





