
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ઈસરી ગામના ભક્તની અનોખી ભક્તિ, દંડવત યાત્રા કરી પોહ્ચશે દેવરાજ ધામ મંદિર મોડાસા ખાતે
મેઘરજના ઇસરી(ઇન્દીરાનગર) રામદેવજી મંદિરના ભક્ત કાન્તિદાસ મહારાજે ઈસરી મુકામેથી તા.૧ ફેબ્રુઆરીથી દંડવત યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે યાત્રા તા.૧૪ ના રોજ મોડાસાના પ્રસિદ્ધ યાત્રાધામ સંતશ્રી દેવાયત પંડિતની ચેતન સમાધી બાજકોટ ખાતે પહોંચશે,દેવરાજધામ ગુરૂગાદી મઠના પરમ પૂજ્ય મહંત ધનેશ્વર ગીરી બાવજીના આશીર્વચન લઈ દંડવત યાત્રાનું સમાપન કરાશે.





