તા.૨૩.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પ્રાંત અધિકારી નીલાંજસા રાજપૂત દ્વારા મતદાર જાગૃતતા રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યુ
દાહોદ:-દાહોદ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી ૭ મી મે ના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે દાહોદ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સામુહિક પ્રયત્નો આદર્યા છે. જેમાં વિવિધ સંસ્થાઓએ વ્યાજબીભાવના દુકાનદારઓ પણ સહભાગીદારી નોંધાવી છે. ત્યારે દાહોદ પ્રાંત અધિકારી નિલાંજસા રાજપૂત અને મામલદારશ્રી મનોજ મિશ્રા એ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલી દરમ્યાન દાહોદ શહેરના વ્યાજબી ભાવની દુકાનદારઓ એ લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી મતદાર જાગૃતતા રેલી દરમ્યાન કર્યું હતુ. દાહોદ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલીની સાથે સાથે લોકોને મતદાર માટે પ્રેરિત કરાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહ ભેર પોતાના હસ્તાક્ષર કરી “હું મત આપીશ મારા પરિવાર સાથે ” એવી અપીલને આત્મસાત કરી હતી.આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા આ રેલી દાહોદના નગરપાલિકા સહિત પડાવ વિસ્તારમાં થઈ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો. આ જાગૃતતા રેલીમાં મામલતદાર કચેરીના કર્મયોગીશ્રીઓ, બુથ લેવલ ઓફિસરઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.