ખેતીકામ સાથે સંકળાયેલા શ્રમિકોને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા પ્રેરિત કરાયા
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૯/૦૪/૨૦૨૪
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તેવા ઉદેશ્યથી મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે જંબુસર તાલુકાના કપાસના ખેતરમાં કામ કરતા શ્રમિકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા અચુક મતદાન કરવાં પ્રેરિત કર્યા હતા. અને અન્ય નાગરીકોને પણ મતદાન કરવા પ્રેરીત કરવા જણાવ્યું હતું. તેમજ મતદાન કરવા અંગે સંકલ્પ લેવામાં આવી
હતી.