
આવનાર સ્વાતંત્ર્ય દિન 15 મી ઓગસ્ટ ને લઈને સમગ્ર દેશ મા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છ, સ્વતંત્રતાકા ઉત્સવ ,સ્વચ્છતા કે સંગ, થીમ ઉપર ઠેર ઠેર દેશ ભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શિનોર મુકામે આજ રોજ તારીખ 13 ઓગસ્ટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં શિનોર ગ્રામ પંચાયત સરપંચ કિન્નલબેન પટેલ,ઉપ સરપંચ નિતિન ખત્રી અને ગ્રામ પંચાયત ના સદશ્યો એ એપીએમસી પ્રમુખ સચીન પટેલ ના સહયોગ અને માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.આ તિરંગા યાત્રામા મામલતદાર મુકેશભાઈ, મામલતદાર કચેરી સટાફ, તાલુકા પંચાયત કચેરી સટાફ, આંગણવાડી કાર્યકરો, શિનોર પી. એચ. સી. ઇન્ચાર્જ ટી. એચ. ઓ. ડો જીજ્ઞેશભાઈ તથા સટાફ, બીજેપી તાલુકા પ્રમુખ સંકેત પટેલ, તેમજ સાર્વજનિક હાઈસ્કૂલ સટાફ તથા બાળકો અને ગામના અને તાલુકા ના આગેવાનો તેમજ હોદ્દેદારો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. શિનોર ગ્રામ પંચાયત ના કંપાઉન્ડ મા સર્વ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફૂલ હાર અર્પણ કરી તિરંગા યાત્રા નુ પ્રસ્થાન થયું હતું. તિરંગા યાત્રા ગ્રામ પંચાયત થી બસ સ્ટેન્ડ, મેઈન બજાર, ચારભાગ, ભાટ્ટશેરી, રામજી મંદિર, બુશાફળી, સોની બજાર થી પરત ગ્રામ પંચાયત આવી પૂર્ણ કરી હતી. ગામના મેઈન વિસ્તારો મા તિરંગા યાત્રા નીકળતા ગામમાં દેશ પ્રેમ નુ વાતાવરણ ફરી વળ્યું હતું. અને જ્યાં જ્યાં થી રેલી પસાર થતી હતી ત્યાં ગ્રામજનો આ રેલી ને જોઈ દેશ ભક્તિમાય વાતાવરણ બનતા આ રેલી એ આકર્ષણ જમાવ્યું હતું




