અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ધૂતારી કંપનીઓમાં મૂડીનું વધુ વ્યાજ મળે એ આશાએ રોકાણકારોએ રોકાણ કર્યું..!!! કંપનીએ કરેલી જાહેરાતો જોઈ લોકો જ બોલતા થયા છે કે,,, આ કોના બાપની દિવાળી
રોકાણ કરેલ રકમ એ ગ્રાહકને પાછી લેવી પણ એ કંપની વાત સાંભળતી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
નવસારીના ચીખલીમાં ઉંચા વ્યાજની લાલચમાં રોકાણકારો લોહીના આંસુએ રડ્યાં, રૂ.2.94 કરોડની છેતરપિંડી,5 પૈકી 3 આરોપીને પોલીસે દબોચ્યા
ગુજરાતીમાં કહેવત છે કે,લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી, આ કહેવત નવસારીના ચીખલીમાં સાચી ઠરી છે.ઉંચા વ્યાજની લાલચે અલગ અલગ સ્કીમોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ચીખલીના સમર નામના ગ્રુપે 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. લોકોને લોહીના આંસુ રડાવનારા પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધતા, પોલીસે ત્રણને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે.
અરવલ્લી જિલ્લામાં ધૂતારી કંપનીઓમાં મૂડીનું વધુ વ્યાજ મળએ આશાએ રોકાણકારોએ રોકાણ કર્યું છે,કંપની રોકાણકારો ને હાલતો દર મહિને વ્યાજ પણ ચૂકવે છે પણ હવે એક ગ્રાહકે કોઇ કારણસર વિશ્વાસ ગુમાવ્યો છે કે શું? રોકાણ કરેલ રકમ એ ગ્રાહકને પાછી લેવી પણ એ કંપની વાત સાંભળતી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.પોતાનો ધંધો વિકસાવવા કંપનીએ કરેલી જાહેરાતો જોઈ લોકો જ બોલતા થયા છે કે,,, આ કોના બાપની દિવાળી,લોકો ને અપીલ છે કે ચેતી જાજો,કારણકે તમારા જ રૂપીયે એજન્ટો અને દલાલો ઊંચું કમિશન અને સારું કામ કરનાર ને વિદેશ પ્રવાસ સુધીની કંપની સુવિધાઓ પુરી પાડે છે.ભૂતકાળમાં,આદર્શ,ગોથાજી,HBN,સહારા સહિતની અનેક કંપનીઓ માં જેને રોકણ કર્યું હતું એ ગ્રાહકો હજુ આઘાત માંથી બહાર શક્યા નથી.નવસારી જીલ્લા માં જે ઘટના સામે આવી છે,એવી જ ઘટના અરવલ્લી માં બને તો નવાઈ નહિ…. એટલે કહીએ છીએ ‘ચેત તો નર સદા સુખી’