BANASKANTHADEODAR

દિયોદર વહેપારી એશોશિયશન દ્વારા આવેદન પત્ર આપી અગ્નિશામક વાહન ની વ્યવસ્થા કરવા કરી માંગ…

દિયોદર ગામે ફાયર સેકટી માટે જરૂ૨ અગ્નિશામક વાહન તથા અગ્નિશામક કર્મચારીની સગવડ કરવા માટે પ્રાંત અધિકારી અને દિયોદર ધારાસભ્ય ને દિયોદર ના વહેપારી ઓ આપ્યું આવેદનપત્ર.

દિયોદર એ તાલુકા મથક છે અને દિયોદર ગામમાં ૫૦ થી વધુ સોસાયટી તેમજ ૨૫૦૦ થી વધુ દુકાનો, શોરૂમ, મોલ તથા સરકારી અને અર્ધસરકારી કચેરીઓ આવેલ છે દિયોદર તથા દિયોદર તાલુકાના ગામોમાં અગ્નિશામક ગાડીની કોઈપણ જાતની વ્યવસ્થા નથી. અને હાલમાં દિયોદર તાલુકામાં અવાર-નવાર આગ લાગવાના બનાવો બનવા પામેલ છે અને ભુતકાળમાં પણ આગના મોટા બનવો બનેલ છે જેનાથી વહેપારીઓને પારાવાર નુકશાન થયેલ છે. દિયોદર માં એ આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક આગનો બનાવ બને ત્યારે આ આગને કાબુમાં લાવવા માટે દિયોદર થી ૨૦ કી.મી દુર ભાભર તથા થરા થી સંપર્ક કરી અગ્નિશામક ગાડીઓ બોલાવવામાં આવતી હોય છે આમ ભાભર તેમજ થરા દિયોદર થી ૨૦ કી.મીના અંતરે આવેલ હોઈ સદરહુ વાહનને સ્થળ ઉપર આવતાં થણો સમય લાગી જાય છે અને ત્યા સુધી આગથી મોટા ભાગનુ નુકશાન થઈ ગયેલ હોય છે.આમ જો દિયોદર તાલુકામાં ફાયર સેફટી માટે અગ્નિશામક વાહનની વ્યવસ્થા કરવામાં આવે તો આગ થી ગામની સ્થાવર મિલ્કતો તથા જાન માલને થતુ મોટુ નુકશાન અટકાવી શકાય છે. હાલના સમયમાં દિયોદરમાં આગના બનાવને કાબુમાં લાવી થતુ નુકશાન અટકાવવા માટે કોઈપણ જાતની વ્યવસ્થા નથી. આ વ્યવસ્થા માટે દિયોદર ગામના વહેપારી એશોશિયશેન દ્વારા આવેદન પત્ર આપી આપ તાત્કાલીક ધોરણ દિયોદર ગામમાં ફાયર સેકટી માટે અગ્નિશામક વાહન તેમજ તેના કર્મચારીને વ્યવસ્થા થાય તે માટે યોગ્ય આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી…

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

Back to top button
error: Content is protected !!