GUJARATPANCHMAHALSHEHERA

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરા તાલુકા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

વિશ્વ પર્યાવરણ દિન (૫ જૂન) નિમિત્તે શહેરા તાલુકાના વન વિભાગ દ્વારા એક સુંદર અને ઉદ્દેશપૂર્ણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરા વન પરિક્ષેત્ર અધિકારી શ્રી આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

 

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શહેરા મામલતદાર શ્રી ધમેન્દ્રભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થ પટેલ, શહેરા PI શ્રી અંકુશ ચૌધરી, વરિષ્ઠ આગેવાન શ્રી મગનભાઈ પટેલીયા તેમજ ગામના આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે વિવિધ જાતના વૃક્ષોના રોપણ કરવામાં આવ્યા હતા અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવા અંગે ઉદ્દબોધન આપવામાં આવ્યું. અતિથિઓએ વૃક્ષોનું મહત્વ સ્પષ્ટ કરતાં કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમો માત્ર એક દિવસ પૂરતા હોવા જોઈએ નહીં, પરંતુ સતત અને સંકલિત પ્રયાસો થકી પર્યાવરણને બચાવવાનો સંદેશ પ્રસારિત કરવો જોઈએ.

 

શહેરા વન વિભાગ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી માત્ર ઔપચારિકતા ન રહી જાય તે માટે ગામલોકો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

 

 

આમ, શહેરા વન વિભાગ દ્વારા આ કાર્યક્રમ પર્યાવરણપ્રેમી દૃષ્ટિકોણ સાથે સફળતાપૂર્વક સંપન્ન કરાયો હતો.

 

Back to top button
error: Content is protected !!