SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલ મારફતે ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કર્યા.

તા.03/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મોબાઇલ ફોન નંગ 16 કિ.રૂ.3,68,313 નો મુદામાલ નો મુદ્દામાલ શોધી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી અરજદારને અર્પણ કર્યા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલનો વધુમાં વધુ ઉપયોગ કરી નાગરીકોના મોબાઇલ રીકવર કરવા બાબતે પોલીસ અધિક્ષક શ્રી ડૉ.ગીરીશ પંડયા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી. બી. જાડેજા સુરેન્દ્રનગર વિભાગ નાઓની જરૂરી સુચના આપવામાં આવેલ હોય અને પો.ઇન્સ.શ્રી બી.સી. છત્રાલીયાના ઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશનો પાસે CEIR પોર્ટલની કામગીરી કરાવવા સારૂ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કોન્સ. બિદુંબા પી ઝાલાની નિમણુંક કરવામા આવેલ જે અન્વયે પરેશભાઈ સાકરીયા, સીરાજખાન મલેક સહિત ટીમ દ્વારા ગુમ કે ખોવાયેલ ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડયુલમાં એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરી કુલ મોબાઇલ નંગ ૧૬ જેની આશરે કિ.રૂ.૩,૬૮,૩૧૩ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!