GUJARATKADIMEHSANA

સર્વ વિદ્યાલય,કડીની બી.એડ.કોલેજ અંતર્ગત તણાવમુક્ત જિંદગી,જ્ઞાન અને સંસ્કારમાં વૃધ્ધિ,સમયનો સદઉપયોગ,મૂલ્ય સંક્રમણ વગેરે પાસાઓ ને લઈ વાંચન પ્રેરણા દિવસની ઉજવણી કરવામાં આવી.

પ્રેરણા દિવસની ઉજવણી

 

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,કડી

સર્વ વિધાલય કેળવણી મંડળ કડી સંચાલિત એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડીના સંયુક્ત ઉપક્રમે તાલીમાર્થીઓમાં વાંચન વિકાસ માટે તા.૧૦-૦૩-૨૫ ના રોજ વાંચન પ્રેરણા દિવસની ઉજવણી કરવામાં આવી. તાલીમાર્થીઓ દ્વારા વાંચનથી થતા ફાયદા જેવા કે તણાવમુક્ત જિંદગી,જ્ઞાન અને સંસ્કારમાં વૃધ્ધિ,સમયનો સદઉપયોગ,મૂલ્ય સંક્રમણ વગેરે પાસાઓ વિશે રજૂઆત કરવામાં આવી.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડો.ભાવિક એમ.શાહ સાહેબ સૂરજબા કોલેજના(HOD) ડૉ.જગદીશ એસ.પટેલ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને વાંચન અંગે પ્રેરણા પૂરી પાડી હતી આ સમગ્ર કાર્યક્રમ ડૉ.ભાવિક એમ.શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ગ્રંથપાલ કલ્પના બી.દવે અને રાજેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!