
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા , ગણદેવી ,નવસારી અને ચીખલી તાલુકાઓના લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો

આ કેમ્પોમાં તાલુકાના વિવિધ ગામોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. જેમાં વાંસદા તાલુકાના ગંગપુર – ઉમરકુઇ –મીંઢાબારી – કાવડેજ – ઘોડમાળ – લીમઝર,ગણદેવી તાલુકાના સોનવાડી – માણેકપોર – વેગામ, ચીખલી તાલુકાના બોડવાંક –કાંગવઈ – ટાંકલ – વાંઝણા અને નવસારી તાલુકાના શાહુ – વછરવાડ ગામના આદિવાસી સમુદાયના ગ્રામજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તા. ૧૫ જુલાઈ સુધી શરૂ છે. આ અભિયાન હેઠળ ૧૭ જેટલા સરકારી વિભાગોની ૨૫ વ્યક્તિલક્ષી અને માળખાકીય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચી રહી છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જનધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે પીએમજેવાય, આંગણવાડી લાભ, રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.




