GODHARAGUJARATPANCHMAHAL

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે એન એસ એસ ની યુનિવર્સિટી કક્ષાની એડવાઈઝરી મીટીંગ યોજાઇ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

એન એસ એસ એ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ અંતર્ગત ભારત સરકારનું એક ઉપક્રમ છે જેમાં ખાસ વિદ્યાર્થી કલ્ચરલ સાયન્ટિફિક અને સામાજિક સેવા માં પોતાનું યોગદાન આપે એ માટે તૈયાર કરવામાં આવે છે. યુનિવર્સિટી અંતર્ગત 67 થી વધારે યુનિટના એનએસએસ ના વિદ્યાર્થીઓ દ્વારા થયેલ વિવિધ રચનાત્મક કાર્યક્રમોનો અહેવાલ આ મિટિંગમાં રજૂ કરાયો હતો. ઉપરાંત ગત વર્ષે આયોજિત નેશનલ કક્ષાના ઇન્ટીગ્રેશન કેમ્પનો અહેવાલ પણ રજૂ કરાયો હતો. એડવાઈઝરી કમિટીના સભ્યો દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ  પ્રતાપ સિંહ ચૌહાણ સાહેબ, કુલ સચિવ  અનિલ સોલંકી સાહેબ ઉપરાંત ગાંધીનગરથી એનએસએસના રિઝનલ ડાયરેક્ટર  કમલકુમાર કર સાહેબ ખાસ જોડાયા હતા. આ એડવાઈઝરી સમિતિના મેમ્બર્સ તરીકે કોલેજોના પ્રિન્સિપાલો, પસંદગી પામેલ અધ્યાપકો, નહેરુ યુવા કેન્દ્રના કોર્ડીનેટર ઉપરાંત એનએસએસ ના પસંદગી પામેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું એન એસ એસ કોઓર્ડીનેટર શ્રી મયંકભાઈ સાહેબ સૌનો આભાર માન્યો હતો અને આગામી વર્ષ દરમિયાન થનાર પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી હતી.

Back to top button
error: Content is protected !!