DAHODGUJARAT

દાહોદ નગરપાલિકાના માજી પ્રમુખ સ્વ.રાજુભાઈ.એમ.પરમાર ની ૧૦મી પુણ્યતિથિ નિમિત્તે સગર્ભા બહેનો ને ફૂડકીટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો 

તા.૩૦.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નગરપાલિકાના માજી પ્રમુખ સ્વ.રાજુભાઈ.એમ.પરમાર ની ૧૦ મી પુણ્યતિથિ નિમિત્તે સગર્ભા બહેનો ને ફૂડકીટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો

દાહોદ નગરપાલિકા માજી પ્રમુખ સ્વ. રાજુભાઈ એમ પરમાર ની ૧૦ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ તથા સમાજ જાગૃતિ એક નવા રસ્તે વળે તે માટે સામાજિક સમરસતા ના ભાગરૂપે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક ફૂડપેકેટનું વિતરણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું  જેમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ, ડો. ભગીરથભાઈ બામણીયા તાલુકા હેલ્થ ઓફિસર દાહોદ ,ભાજપ શહેર મહામંત્રી  સત્યેન્દ્ર સોલંકી, હીરાલાલ સોલંકી તથા બીજા સાથી કાઉન્સિલર મિત્રો, દાહોદ જિલ્લા હિન્દ મહાસભાના પ્રમુખ શ્રી રાજેશભાઈ કલરા, દાહોદ શહેર પ્રમુખ વિનોદભાઈ, મહામંત્રી પ્રદીપભાઈ મિશ્રા તથા વોર્ડ.નં ૫- ગોધરા રોડ વિસ્તારના સાથી કાર્યકર્તાઓ, જુદા જુદા સમાજના અગ્રણી નીતાશ્રીઓ તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં લગભગ ૭૦ જેટલી સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટ વિતરણ કરી હતી

Back to top button
error: Content is protected !!