VALSADVAPI

વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના વિકાસ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતાં રાજય મંત્રી

રૂા. ૪.૪૦ કરોડના ખર્ચે વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના વિકાસ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ સૌએ સાથે મળીને વિકાસના કામો કરવા કરવા જોઇએ-મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

તળાવમાં આઇલેન્ડ બનાવી આ આઇલેન્ડ પર ભગવાન શ્રીકૃષ્ણનું શેષનાગ સાથેનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે

માહિતી બ્યુરોઃ ૦૮ઃ-  વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના ડુંગરાના પીરમોરા ખાતેના ઘાંચીયા તળાવના રૂા. ૪.૪૦ કરોડાના ખર્ચે વિકાસ કરવાના કામનું રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ આજરોજ ખાતમુહૂર્ત કર્યુ હતું.

નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ સૌએ સાથે મળીને સહિયારા પ્રયાસોથી વાપી નગરપાલિકાનો વિકાસ કરવો જોઇએ એમ મંત્રીશ્રીએ આ તબક્કે જણાવ્યું હતું. રાજય સરકારે રાજયના વિકાસ માટે જે રીતે દ્વારકાના દરિયાકાંઠા પરના દબાણો દૂર કર્યા છે તેજ રીતે નગરપાલિકાના વિકાસ માટેના અવરોધો કે દબાણો દૂર કરીને વિકાસના કામો કરવા જોઇએ. વાપી નગરપાલિકાના થઇ રહેલા વિકાસ બાબતે મંત્રીશ્રીએ ભૂતપૂર્વ પ્રમુખોનો ઉલ્લેખ કરી નગરના વિકાસમાં તેમના યોગદાનની નોંધ લીધી હતી. નગરપાલિકાના જે તે વિસ્તારના પૂર્ણ થયેલા પ્રોજેકટના સંચાલન માટે સંબિધત વિસ્તારના ચૂંટાયેલા લોકોની કમિટી બનાવવા માટે મંત્રીશ્રીએ સૂચન કર્યુ હતું. મંત્રીશ્રીએ આ વિસ્તારમાં ઘાંચીયા તળાવનો વિકાસ  થવાથી શહેરના લોકોને એક પર્યટન સ્થળની સુવિધા મળશે એમ જણાવ્યું હતું.

રૂા. ૪.૪૦ કરોડના ખર્ચે તૈયાર થનારા ઘાંચીયા તળાવમાં રબલ મેશનરીથી પીચીંગ કરવામાં આવશે. તળાવની વચ્ચેના ભાગે આઇલેન્ડ બનાવવામાં આવશે આ આઇલેન્ડ ઉપર જવા માટે બ્રીજબનાવવામાં આવશે અને આ આઇલેન્ડ પર ભગવાન શ્રીકૃષ્ણનું શેષનાગ સાથેનું સ્કલ્પચર બનાવવામાં

આવશે. સહેલાણીઓ માટે ફૂડ પ્લાઝા અને કાફટેરિયા, લેન્ડ સ્કેપીંગ, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, વોકીંગ પાથ વે, પબ્લિક યુટીલીટી, કમ્પાઉન્ડ વોલ, પાર્કિગ સુવિધા, ગઝેબો અને ઓપન ગાર્ડનનો સમાવેશ થાય છે.

આ પ્રસગે ઉંમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા રાજયની ૧૬૫ નગરપાલિકાઓ અને ૦૮ મહાનગરપાલિકાઓમાં સુનિયોજીત વિકાસ થઇ રહયો છે. રાજયના નગરોના વિકાસ માટે રાજય સરકાર દ્દારા માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કાશ્મીરા શાહે વાપી નગરપાલિકા દ્વારા આ વિસ્તારના તળાવના વિકાસની પૂર્વ ભૂમિકા આપી આ વિસ્તારના જાગૃત લોકોનો આભાર માન્યો હતો.  સ્વાગત પ્રવચનમાં કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઇએ વાપી નગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે થઇ રહેલા કામો અને ભવિષ્યમાં થનાર કામોની વિગતવાર માહિતી આપી હતી. બાંધકામ સમિતીના ચેરમેન જયશેભાઇ કંસારાએ આભારવિધી કરી હતી.

આ કાર્યક્રમમાં વાપી નગરના શહેર સંગઠન પ્રમુખ સતીષભાઇ પટેલ, વાપી નોટીફાઇડ એરિયાના ચેરમેન હેંમતભાઇ પટેલ, વાપી વી. આઇ. એ. ના પ્રમુખ કમલેશભાઇ પટેલ અને વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ, નગરપાલિકાના સદસ્યો તેમજ ડુંગરા વિસ્તારના નગરજનો હાજર રહયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!