વલસાડમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ૩૦૮ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ:તા.૧૫ એપ્રિલ–ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વલસાડ રણભૂમિ સંસ્થા અને આદિવાસી સંઘ તથા સરપંચના સહયોગથી કલવાડા ચાર રસ્તા ખાતે રેલી તથા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઠક્કરવાડા તેમજ ઘડોઈ ગામની બહેનો દ્વારા આદિવાસી કૃતિ તથા યોગાસન ખેલાડી સેજલ ગુપ્તા દ્વારા યોગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મંચ સંચાલન નિલેશ કોસીયાએ કર્યુ હતું. આ કાર્યક્રમ વકીલ કેયુર પટેલ તથા આદિવાસી સંઘની ટીમ તેમજ સરપંચોના સહયોગથી સફળ રહ્યો હતો.




