DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજી ખાતે વિવિધ રસ્તાઓનું સમારકામ કરાયું

તા.૧૬/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

પેચવર્ક, ખાડાપુરણ સહિતની કામગીરીથી નાગરિકોને અવરજવર માટે થયેલી સુગમતા

Rajkot, Dhoraji: વર્ષાઋતુને લીધે નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ કરવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજયના તમામ જિલ્લા વહીવટી તંત્રને સુચના આપી છે.

જે અન્વયે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ રોડ ખાતેની જનસેવા સોસાયટી વિસ્તાર અને વેંકટેશ્વરનગર, જમનાવાડ રોડ તથા પાટણવાવ રોડ સહિતના જુદા જુદા વિસ્તારના રસ્તાઓ પરના ખાડાઓ બુરવામાં આવ્યા હતા અને રસ્તાઓના રીપેરીંગની કામગીરી કરી રસ્તાઓને સમથળ કરવામાં આવ્યા હતા. આ કામગીરીને લીધે ધોરાજી વિસ્તારના મુસાફરો અને વાહન ચાલકોને અવરજવર માટે સુગમતા રહેશે

Back to top button
error: Content is protected !!