
*વાત્સલ્યમ સમાચાર*
મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ
વાંસદા તાલુકાના કેલીયા ગામના રસ્તોનું ખાતમુહૂર્ત આજે વાંસદા તાલુકા પ્રમુખ અને માજી તાલુકા પ્રમુખ હસ્તે કરવામાં આવ્યું
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલીયા ગામના રસ્તોનું આજરોજ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ તથા માજી પ્રમુખ સાંતુભાઈ ગાવીતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે વાંસદા તાલુકાના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાવીત, દશરથભાઈ ભોયે વાંસદા તાલુકા ભાજપ મહામંત્રી સંજયભાઈ બિરારી,મહામંત્રી રાકેશભાઈ શર્મા, કેલીયા ગામનાં સરપંચ શ્રીમતી રાધાબેન પટેલ વાડીચોંડા ગામના માજી સરપંચ શૈલેષભાઈ ગાવીત સહિત કેલીયા ગામના આગેવાનો ગ્રામજનો તેમજ સમાજસેવી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ રસ્તાનું ખાતમુહુર્ત કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.



