NARMADASAGBARA

Sagbara : સાગબારાના સેલંબા માં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો,

સાગબારાના સેલંબા માં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો,

મળતી માહિતી અનુસાર સેલંબા ખાતે યાત્રા પર પથ્થરમારો કર્યો છે. હાલ સેલંબામાં કેટલીક દુકાનોમાં આગચંપીનો પણ બનાવ સામે આવ્યો છે.અને દુકાનોમાં લાખોનું નુકશાન પણ થયું છે કુઇદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. તે પહેલાં જ પથ્થરમારાનો એક કાવતરૂ રચાયેલું છે તેવું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે,

નર્મદા જિલ્લાના સાતબારા તાલુકાના સેલંબા ગામ ખાતે ગતરોજ રેલી યોજાઈ હતી તે દરમિયાન કુઇદાના મસ્જિદ પાસે કોઈના ઈશારા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો તેવું સુત્રો કહે છે ત્યારે સેલંબાના નગરજનો તમામે તમામ દુકાનદારો તેમજ ખરીદી કરનારા ગ્રાહકો પણ ત્યાંથી જીવ‌ બચાવી નાસી છૂટ્યા હતા આ બનાવ દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવા તરત જ ધટના સ્થળે પોહચી જનતાને સહકાર અને શાંતિ થવાના સુચનો આપ્યા હતા સાથે સ્થાનિક પોલીસ તંત્ર ને પણ ૨૮ તારીખે જાણ કરેલ કે આ રેલીમાં ધમાલ થવાની હોઇ તેનું સંભાવના પણ છે તેવું ચૈતર વસાવા એ જણાવ્યું હતું તેમ છતાં પોલીસ તંત્ર બન્ય નિષ્ફળ આ સમગ્ર ઘટના બાદ તંત્રએ પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દેવામાં આવી હતી કદાચ તંત્ર પહેલાંથી જાગતું તો કદાચ આવું ના પણ થાત તેવું સુત્રો કહે છે, આવા ધમાલ મચાવનારા ગુંડાઓ સામે હવે નર્મદા જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરશે ખરી ???

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!