ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : અંબાજી ખાતે ભાદરવી પુનમ ના મેળા ને લઇ અરવલ્લી જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : અંબાજી ખાતે ભાદરવી પુનમ ના મેળા ને લઇ અરવલ્લી જિલ્લામાં જાહેરનામું પ્રસિદ્ધ

 

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તથા બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે મોટા મેળાઓ ભરાય છે. આ મેળામાં અંબાજી માતાના દર્શાનાર્થે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી શ્રધ્ધાળુઓ,પગપાળા સંઘો, મંડળો તેમજ માતાજીનો ૨થ લઈને ચાલતા તેમજ વાહનો દ્વારા ચોરીવાડ-માલપુર-મોડાસા-શામળાજી-આશ્રમ ચા૨ ૨૨તા- ભિલોડા-ઈડર રોડ ઉપરથી મોટી સંખ્યામાં પસાર થાય છે. તે દરમ્યાન પસાર થતાં વાહનોના કારણે પદયાત્રીઓના અક૨માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન અને પદયાત્રીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે ચોરીવાડ માલપુર-મોડાસા- શામળાજી-આશ્રમ ચાર ૨૨તા જતા રોડની જમણી બાજુએ તમામ નાના-મોટા વાહનો પસાર થાય (વન-વે ક૨વા) તે સારૂ તા.૨૯/૦૮/૨૦૨૫ થી તા. ૦૫/૦૯/૨૦૨૫ સુધી જાહેરનામું પ્રસિધ્ધ ક૨વાનું થાય છે.ડી.વી.મકવાણા (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અરવલ્લી, દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી,અરવલ્લી જિલ્લો, મોડાસા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (સને ૧૯૫૧નો ૨૨ મો) ની કલમ – ૩૩ (૧) (બી) થી મને મળેલ સત્તાની રૂએ આથી નીચે મુજબની સૂચનાઓની તમામ સબંધિત્તોએ અમલવારી ક૨વા હુકમ કરૂ છું.

“જાહેરનામાનો પ્રતિબંધિત વિસ્તાર”

ચોરીવાડ-માલપુર-મોડાસા-શામળાજી આશ્રમ ચા૨ ૨૨તા જતા રોડની ડાબી બાજુવાળા હાઈવે પ૨ તમામ નાના-મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ

“જાહેરનામાનો પ્રતિબંધિત સમયગાળો”

તા.૨૯/૦૮/૨૦૨૫ના કલાક ૦૦-૦૦ થી તા.૦૫/૦૯/૨૦૨૫ ના કલાક ૨૪-૦૦ સુધી (બંને દિવસો સહિત)”જાહેરનામા મુજબ અપવાદ”ઉક્ત પ્રતિબંધ સરકારી/સરકારી કામે રોકાયેલ વાહનો, આકરિમક રાંજોગોને પહોંચી વળવા ઉપયોગમાં લેવાતાં વાહનો જેવા કે, એમ્બ્યુલન્સ, અગ્નિશામક વાહન વિગેરેને લાગુ પડશે નહીં”આ જાહેરનામાનો ભંગ ક૨તા દંડની જોગવાઈ”આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન ક૨ના૨ અથવા કરાવનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ – ૧૩૧ હેઠળ તેમજ ભા૨તીય ન્યાય સંહિતાની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા ધરાવતા હેડ કોન્સટેબલ અને તેનાથી. ઉપરના દરજાના સક્ષમ સત્તા અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇરામો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ – ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત ક૨વામાં આવે.

Back to top button
error: Content is protected !!