SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની સાથે સાથે રેશનકાર્ડ e KYC કેમ્પ યોજાયો.

તા.25/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબનાં સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં ઈ કે.વાય.સી. કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની સાથે સાથે રેશનકાર્ડ e KYC કરાવવા માટે કેમ્પ પણ યોજાયો હતો જેનો નાગરિકોએ લાભ મેળવ્યો હતોવરેશનકાર્ડ e KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો માત્ર આપવાની રહે છે e KYC માટે કોઈપણ દસ્તાવેજની કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથીશઅત્રે નોંધનીય છે કે, રેશનકાર્ડ ધારકો ઘરે બેઠાં જાતે પણ e KYC કરી શકે છે સરકારની My Ration મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઘર આંગણે e-KYC કરાવવાની પ્રક્રિયા સરળ છે રેશનકાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે e-KYC કરવા માટે રેશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યના આધાર રેશનકાર્ડમાં સીડ થયેલા હશે, એવા જ સભ્યો એપ દ્વારા e-KYC કરી શકશે રેશનકાર્ડમાં જે સભ્યના આધાર નંબર સીડ થયેલા ન હોય તેઓ પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા, મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક સાધી રેશનકાર્ડ તથા આધારકાર્ડ સીડ કરાવી શકે છે.

Back to top button
error: Content is protected !!