GUJARATNAVSARIVANSADA

વાંસદા તાલુકા પંચાયતનો તાજ કોના શિરે ??

વાત્સલ્યમ્  સમચાર

પ્રિતેશ પટેલ

વાંસદા તાલુકા પંચાયતનો તાજ કોના શિરે ??
………………….
ગુજરાત પ્રદેશ અધ્યક્ષની “નો” રિપીટની થિયરી વાંસદામાં સાર્થક થશે ??
…………………………
વાંસદા તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અંગેની અટકળો !
……………………….
પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોઈ ત્યારે નવા પદાધિકારીઓ કોણ ?
…………………
વાંસદા તાલુકા પંચાયત અઢી વર્ષ અગાઉ ભાજપ બહુમતીથી જીતવામાં સફળ રહી હતી.જે બાદ પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણતાના આરે હોઈ બાકી રહેતી આગામી અઢી વર્ષ માટે નવોદિત પદાધિકારીઓ અંગેની અટકળો તેજ બનવા પામી છે.તાલુકા પંચાયતના પદાધિકારીઓની અઢી વર્ષની મુદત આગામી દિવસોમાં પુરી થતી હોઈ રોટેસન પ્રમાણે નવા પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ વગેરે જેવા પદો માટે આંતરિક વિખવાદ થઈ રહ્યો હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.
…………………………
વાંસદા તાલુકો એ એક બાહુલ આદિવાસી વિસ્તાર ધરાવતો આદિવાસી તાલુકો છે. અહીં તાલુકા પંચાયત જીતવામાં તો ભાજપે બાજી મારી છે પણ વિધાનસભા જીતવામાં આ જ મતદારોને રિઝવવામાં તમામ તાલુકા પંચાયતના પદાધિકારીઓ વામણા પુરવાર થયા હતા જેનું કારણ વાંસદા ભાજપમાં આંતરિક અસંતુષ્ટતા,વિખવાદ,જયચંદો અને શકુની નીતિઓને લીધે વિધાનસભા ગુમાવવાનો વારો આવ્યો હોઈ શકે ! તો શું આગામી અઢી વર્ષ માટે આ જયચંદો અને શકુનીઓ ભાજપને વફાદાર રહેશે ? તેવી ચર્ચાઓએ પણ હાલ વાંસદા પંથકમાં જોર પકડ્યું છે..!
…………………..
વાંસદાની રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો અહીં ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખની પીપુડી વાગતી ન હોઈ તાલુકા પંચાયતનો એક હથથો વહીવટ કારોબારી અધ્યક્ષ જ કરતો આવતો હોઈ અંદરો અંદર જેનો વિરોધ જોર સોરમાં ચાલી રહ્યો છે..વળી એ પણ ચર્ચા વાંસદા ભાજપમાં જોર પકડ્યું હોઈ કે કારોબારી અધ્યક્ષ પોતે જ સરકારી કામો કરી ઘરના રોટલા સેકતો હોઈ તેને લોકસેવામાં નહીં પરંતુ મેવામાં જ રસ હોઈ જેને તાલુકાના કારોબારી અધ્યક્ષ તરીકે રિપીટ ન કરવા વગેરે વાતોએ વેગ પકડ્યો છે.
વધુમાં લોકચર્ચા એ પણ થઈ રહી છે કે વાંસદા તાલુકા પંચાયતમાં મનસ્વીપનાની નીતિથી તથા પોતે જ કોન્ટ્રાક્ટરો બની બધા સરકારી કામોની ફાળવણી કરી પોતેજ જયચંદો બન્યા છે.. જે ગામમાં કોંગ્રેસનો સરપંચ હોય ત્યાં વિકાસના કામોની ફાળવણી કરવામાં આવતી નથી. પરંતુ આ માની બેસેલા જયચંદો કેમ ભુલી જાય છે કે જ્યાં કોંગ્રેસના સરપંચો હોય તે ગામમાં ભાજપના પણ કાર્યકર્તાઓ હોય છે અને જ્યારે તેઓ તાલુકા પંચાયતની ચુંટણી લડ્યા હતા ત્યારે આજ મતદારોએ તમને વિજય બનાવ્યા છે….
…………….
હવે જોવાનું એ રહ્યું કે છેલ્લી ઘડીએ પસંદગીનો કળશ કોની ઉપર ઢોળાશે તે પક્ષના મેન્ડેટ આવ્યા બાદ જ સામે આવશે ત્યાં સુધી અટકળો રાજકીય ઉત્તેજના જગાવતી રહેશે…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!