GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વીંછીયા ખાતે “મતદાન જાગૃત્તિ” કાર્યક્રમ અંતર્ગત સપરિવાર મતદાન કરવાના શપથ ગ્રહણ કરતાં યુવા મતદારો
તા.૨/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીને મજબૂત કરવા માટે દરેક નાગરીક “લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪”માં અચુક મતદાન કરે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાન જાગૃત્તિ”ના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે ૭૨ – જસદણ વિધાનસભા મતવિસ્તારમાં આઈ.ટી.આઈ – વીંછિયા ખાતે યુવા મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મતદારોએ સપરિવાર મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત, ધોળકીયા સ્કુલના બાળકો દ્વારા રંગલા રંગલી નાટક તથા મતદાન જાગૃત્તિ ગીત ગાઈને લોકોને મતદાન કરવા જાગૃત્ત કર્યા હતા.