GUJARATSAYLA

સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ૪ માં પ્રાથમિક સુવિધા નો અભાવ.

સુરેન્દ્રનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને વર્તમાન પ્રમુખશ્રી જીજ્ઞાબેન જે વોર્ડ નંબર 4 માંથી ચૂંટાય આવ્યા છે. ત્યાંના મહાજનો પાલ વિસ્તાર પ્રાથમિક સુવિધા થી સંપૂર્ણ વંચિત છે. તેવો દ્વારા પ્રાથમિક સુવિધા બાબત અનેક વખત નગરપાલીકા એ રજુવાત કરવા છતાં કામ થતું નથી. અહીંના રહેવાસીઓ દ્વારા તો તેવી પણ ફરીયાદ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા કોઈ ના ઇશારે મંજુર થયેલા રોડ પણ બનાવવા માં આવતા નથી.

ઉપરોકત સમસ્યા ના નિરાકરણ માટે સમચાર નાં માધ્યમથી તંત્ર સુધી પહોચે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે‌.જો આગામી સમયમાં આ સમસ્યાનો નુ નિવારણ નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરવામાં આવશે.

અહેવાલ ,,જેસીંગભાઇ સારોલા, સાયલા

Back to top button
error: Content is protected !!