GUJARATIDARSABARKANTHA

**રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં યોજાયેલ રીઝનલ સંવાદ 2026માં સાબરકાંઠા-અરવલ્લીના યુવાનોએ ભાગ લીધો**

**રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં યોજાયેલ રીઝનલ સંવાદ 2026માં સાબરકાંઠા-અરવલ્લીના યુવાનોએ ભાગ લીધો**

રાજસ્થાનના આદિવાસી ડુંગરપુર જિલ્લાના મુખ્યાલય ખાતે તાજેતરમાં **રીઝનલ સંવાદ 2026**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોની વિવિધ સમસ્યાઓ પર વિશેષ ચર્ચા માટે યોજાયો હતો, જેમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય સેવાઓ, ખોટા સર્ટિફિકેટના મુદ્દા, જળ અને વાયુ પ્રદૂષણ જેવા સળગતા પ્રશ્નોનો સમાવેશ થતો હતો. આ સંવાદમાં આ સમસ્યાઓના સમાધાન માટે વ્યવહારુ માર્ગદર્શન અને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેથી આદિવાસી સમુદાયના વિકાસમાં સકારાત્મક પગલાં ભરી શકાય.

આ કાર્યક્રમમાં ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી યુવાનો અને પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો અને તેને સફળ બનાવ્યો હતો. ખાસ ઉલ્લેખનીય નામોમાં શ્રી રાજભાઈ દામા (સરપંચ), અંકિતભાઈ મોડીયા, રાહુલભાઈ ગામેતી, હંસાબેન સુવેરા (એડવોકેટ), રણજીતભાઈ નીનામા, નરેશભાઈ ડામોર, બંસીલાલ ડેડુન હરપાલ ડામોર, અને દીપક ડામોર નો સમાવેશ થાય છે. આ તમામ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને ચર્ચાઓમાં ભાગ લીધો અને આદિવાસી વિસ્તારોના મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કર્યા.

ડુંગરપુર જિલ્લો રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં આવે છે, જ્યાં ભીલ , આદિવાસી જાતિઓની વસ્તી વધુ છે અને અહીં શિક્ષણ, રોજગાર તેમજ આરોગ્ય જેવા ક્ષેત્રોમાં અનેક પડકારો છે. આવા સંવાદો દ્વારા સ્થાનિક સમસ્યાઓની ઓળખ થાય છે અને સરકારી તેમજ સામાજિક સ્તરે તેના ઉકેલ માટે પ્રયાસો થઈ શકે છે. સાબરકાંઠા-અરવલ્લીના યુવાનોની ભાગીદારીથી આ કાર્યક્રમને વધુ વ્યાપક અને અસરકારક બનાવવામાં મદદ મળી છે, જે બંને રાજ્યો વચ્ચે આદિવાસી વિકાસના મુદ્દાઓ પર સહયોગનું પ્રતીક છે.

આ રીઝનલ સંવાદે આદિવાસી યુવાનોમાં જાગૃતિ અને સક્રિયતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવા કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!