વિજાપુર ફુદેડા ગામે શ્રી દ્વારકાધીશ રણછોડરાયના મંદિર ખાતે પાટોત્સવ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ફુદેડા ગામે આવેલ શ્રી દ્વારકાધીશ રણછોડરાય ના મંદિરનો જેઠ સુદ અગિયારસ ના સોમવારે ભવ્ય ગ્રામજનો અને દાતાઓ ના સહકાર થી ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શ્રી દ્વારકાધીશ રણછોડરાય ની નગર યાત્રા કાઢવા માં આવી હતી. જે ગામના વિવિધ વિસ્તારોમાં ફેરવવા માં આવી હતી.તેમજ મંદિર ઉપર ધજા આરોહણ કરવામાં આવી હતી ભગવાન શ્રી રણછોડરાય ની મૂર્તિને વિવિધ કપડાં પહેરાવી સુશોભિત કરવામાં આવી હતી.મંદિર ખાતે ભગવાન ગણેશજી ની મૃતિને તેમજ તુલસી વૃંદા ને ફુલહાર દ્વારા શણગાર કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો એ મહાપ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન તહેવાર જેવો માહોલ ગામ માં ઉભો થયો હતો.