INTERNATIONAL

બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીનાને ફાંસીની સજા, ઈન્ટરનેશનલ કોર્ટનો ચુકાદો

બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે (ICT) ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ દાખલ કરાયેલા કેસમાં ચુકાદો આપી દીધો છે. ICTએ શેખ હસીનાને દોષી ઠેરવતા ફાંસીની સજા ફટકારી છે. ટ્રિબ્યુનલના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં વિરોધીઓ માર્યા ગયા હતા. શેખ હસીનાએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટર બોમ્બમારાનો આદેશ આપ્યો હતો.   ટ્રિબ્યુનલે એમ પણ જણાવ્યું હતું કે અવામી લીગના કાર્યકરો કથિત રીતે રસ્તાઓ પર ઉતર્યા હતા અને પક્ષના નેતૃત્વની સંપૂર્ણ જાણકારી સાથે પૂર્વયોજિત હુમલાઓ કર્યા હતા.

ટ્રિબ્યુનલના નિર્ણય બાદ ઢાકામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શેખ હસીનાના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. શેખ હસીનાએ ટ્રિબ્યુનલના નિર્ણયને પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલે આઇસીટીના નિર્ણયને અવામી લીગના નેતૃત્વને ખતમ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને તેને ગેરકાયદેસર કોર્ટ ગણાવી હતી.

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ બાંગ્લાદેશી સુરક્ષા દળો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘાતક ધાતુના છરાઓથી ભરેલી સેનાની બંદૂકોમાંથી ચલાવવામાં આવેલી ગોળીઓથી થયા હતા. શેખ હસીનાની સરકાર હેઠળ, સૈન્ય, પોલીસ અને RAB એ ન્યાયિક હત્યાઓ કરી હતી. શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે ગુનાહિત ગુનો કરવાનું કાવતરું ઘડ્યું હતું તેવું પણ ટ્રિબ્યુનલના ચૂકાદામાં કહેવામાં આવ્યું.

શેખ હસીના પર 2024માં થયેલા છાત્રોના આંદોલન પર ઘાતક કાર્યવાહી કરવાનો આરોપ હતો. હસીનાએ આ કેસને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા.. ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશથી ભાગ્યા બાદ તેઓ દિલ્હીમાં નિર્વાસનમાં રહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 15 જુલાઈથી 5 ઓગસ્ટ વચ્ચે થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, 1,400 લોકો માર્યા ગયા હતા. આ હિંસાને 1971ના સ્વતંત્રતા સંગ્રામ બાદની સૌથી ભીષણ રાજકીય હિંસા માનવામાં આવે છે, જેણે બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.



Back to top button
error: Content is protected !!