આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આજ રોજ નવયુગ વિદ્યાલયના આદ્યસ્થાપક શ્રી મગનભાઈ બી. સોલંકી સાહેબની છબીના કર્મચારીઓએ આશિર્વાદ લીધા તે નિમીત્તે વૃક્ષા રોપણ કરી ઉછેરવાની પ્રતિજ્ઞા લીધી.
શાળામાં “ગુરુનું જીવનમાં મહત્વ” વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથન જડીયા ક્રિષ્ના, બીજા નંબરે મકવાણા દિવ્યાંગી અને ત્રીજા ક્રમે પરમાર ભૌતીક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ નિરાલી, બીજો વાઘેલા પ્રિયાંશી અને ત્રીજા ક્રમે રાવળ આદિતી આવ્યા હતા.
અંતે દરેક વિદ્યાર્થીઓએ ગુરૂનું પૂજન કરી આશિર્વાદ લીધા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નીલેશભાઈ તિવારીએ કર્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ