દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર તેમજ રેલ્વે સ્ટેશનની અંદર રખડતા ઢોરોએ વરસાદથી બચવા આસરો લીધો
AJAY SANSIAugust 11, 2024Last Updated: August 11, 2024
2 1 minute read
તા. ૧૧. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર તેમજ રેલ્વે સ્ટેશનની અંદર રખડતા ઢોરોએ વરસાદથી બચવા આસરો લીધો
આજરોજ સાંજના ૮ કલાક થી દાહોદ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેમાં દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા ઢોરોએ વરસાદથી બચવા દાહોદ શહેરના રેલ્વે સ્ટેશનનો સહારો લીધો હતો.જેમાં રખડતા ઢોરો રેલ્વે સ્ટેશનની બહાર તેમજ રેલ્વે સ્ટેશનની અંદર ભરાઈ જતા. રેલ્વે સ્ટેશનની અંદર આવતા જતા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો.ભય કેમ ના હોય દાહોદ શહેરમાં આડે દિવસે રખડતા ઢોરોનું અચાનક ચાલી જતા યુદ્ધના કારણે લોકોનું કેટલું નુકસાન થાય છે એ વાતથી જનતા અજાણ નથી.બિન માલીક રખડતા ઢોરો રેલ્વે સ્ટેશનની અંદર અને રેલ્વે સ્ટેશનની બહાર વરસાદથી બચવા રેલ્વે સ્ટેશન ખાતે જમાવડો કરી દેતા અને મુસાફરોને સમશ્યા થતા સ્ટેશન અધિકારી તાત્કાલિક દોડી આવી રેલ્વે સ્ટેશનની અંદર પ્રવેશ કરી ચૂકેલા ઢોરોને રેલ્વે સ્ટેશનથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.પણ ક્યાંકને ક્યાંક વરસતા વરસાદમાં બિન માલિમ.બે જુબાન.રખડતા ઢોરો જે માત્ર વરસાદથી બચવા જેમણે રેલ્વે સ્ટેશનનો સહારો લીધો એવા બે જુબાન.બિન માલિક રખડતા ઢોરો વિશે વહીવટી તંત્ર થોડું વિચારે અને એવા રખડતા ઢોરોનું સહારો બને એવી લોક ચર્ચા સ્થળ પર ચાલી હતી
Sorry, there was a YouTube error.
AJAY SANSIAugust 11, 2024Last Updated: August 11, 2024