માણાવદર તાલુકાના સરાડીયા આસપાસ સાત જેટલા લોકોને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ રેસ્ક્યુ કરાયા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. માણાવદર તાલુકાના સરાડીયા ગામે અને આસપાસ વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા સાત વ્યક્તિઓને જાણકારી મળતા જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિદર્શન કામગીરી હેઠળ માણાવદર તાલુકાના સરાડીયા ગામે વાડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 






