માણાવદર તાલુકાના નાનડીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
અરજદારોની તમામ ૧૭૭૦ અરજીનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્ય સરકારના પારદર્શક અને સંવેદનશીલ વહીવટી તંત્રને વધુને વધુ પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવા માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આજ રોજ માણાવદર તાલુકાના નાનડીયા ગામની પ્રાથમિક શાળામાં કુલ ૧૬ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારની ૫૫ જેટલી વિવિધ સેવાઓ માટેની આનુષાંગિક સુવિધાઓ એક સ્થળ પરથી પુરું પાડવાનું આયોજન વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.



આ કાર્યક્રમમાં માણાવદર તાલુકાના નાનડીયા ગામે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિત ગામમા પદાધિકારી, તથા તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



