નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે કરી મુલાકાત, સરકાર બનાવવાનો દાવો કર્યો રજૂ
લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સાથે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોક પણ દિલ્હીમાં સતત બેઠકો યોજી રહ્યા છે. બીજી તરફ નરેન્દ્ર મોદીએ એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મોદી 9 જૂને વડાપ્રધાન પદના શપથ લેશે.
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 234 સીટો જીતી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી છે. જેમાં તેમને રાષ્ટ્રપતિ મુર્મુને 9 જૂને શપથ ગ્રહણ માટે આમંત્રિત કર્યા છે. પીએમ મોદીને સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રિત કર્યા છે.
NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા પછી બીજેપી નેતા નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. અહીં તેમણે રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું અને ભગવાન જગન્નાથની તસવીર સાથે તેમનું સ્વાગત કર્યું. નવી બનેલી સરકારનો શપથ ગ્રહણ 9 જૂને યોજાનાર છે. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર ઘણા દિગ્ગજો જોવા મળ્યા હતા.




