આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ તિહાર જેલથી છૂટ્યા છે. સંજય સિંહ જેલથી સીધા અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને પહોંચશે. ત્યાં સુનીતા કેજરીવાલ સાથે તેઓ મુલાકાત કરશે. આ દરમિયાન સંજય સિંહનો પરિવાર પણ સાથે રહેશે. મહત્વનું છે કે, સંજય સિંહને દિલ્હીના કથિત લિકર પૉલિસી કૌભાંડમાં છ મહિના બાદ જામીન મળ્યા છે. તિહાર જેલની બહાર આવતા જ તેમણે સૌથી પહેલા જેના મુખ્ય ગેટ પર રાહ જોઈ રહેલા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું.
છ મહિના બાદ જેલથી બહાર આવ્યા બાદ તેમણે કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું. જેલથી નિકળ્યા બાદ સંજય સિંહે કહ્યું કે, ‘આ ઉત્સવ મનાવવાનો સમય નથી. આ સંઘર્ષનો સમય છે. જેલના તમામ તાળા તૂટશે અને તમામ નેતા છૂટશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે જેલના તાળા તૂટશે અને અરવિંદ કેજરીવાલ બહાર આવશે.’
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.