NATIONAL

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે 1 કરોડ જેટલા ભારતીયોના જીવ જોખમમાં!

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા તે બાદ ઇરાન દ્વારા અનેક વળતા હુમલા થયા છે. અમેરિકાને મદદ કરનારા આસપાસના એવા દેશોને પણ ઇરાન નિશાન બનાવી રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો છે. યુએઇમાં જ ૩૫ લાખ ભારતીયો છે, જ્યારે સાઉદીમાં ૨૭ લાખ, કુવૈતમાં ૧૦ લાખ, કતારમાં ૮ લાખ, ઓમાનમાં ૬૬૦,૦૦૦ ભારતીય છે. હાલ આ યુદ્ધ વચ્ચે આશરે એક કરોડ ભારતીયો ભયજનક સ્થિતિમાં છે.

યુએઇમાં કુલ વસતીના ૩૫ ટકા ભારતીયો છે, ઇરાન દ્વારા હાલ યુએઇ પર અનેક મિસાઇલો અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. એવામાં ભારતીયોનો જીવ પણ જોખમમાં મુકાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી હતી અને ખાડી દેશો પર થયેલા હુમલાની ટિકા કરી હતી. ભારતીયોની સુરક્ષા કરવા બદલ મોદીએ યુએઇના રાષ્ટ્રપતિનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ગલ્ફ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો રોજગારી માટે પણ ગયા છે. જ્યારે કેટલાક પર્યટન સ્થળોએ ફરવા માટે ગયા છે.

Back to top button
error: Content is protected !!