ભારતીય સેનામાં સતત ૧૬ વર્ષ સુધી દેશના વિવિધ રાજ્યોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને નિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા બોડેલીના ડોરમાર વસાહતના વતની કમલેશભાઈ રાઠવાના માનમાં એક ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો, જેમાં બોડેલીના અલીપુરા ચોકડી ખાતે મોટી સંખ્યામાં આજુબાજુના ગામના મિત્રો, સ્નેહીજનો અને સ્થાનિક નગરજનોએ હાથમાં તિરંગા અને પુષ્પહાર સાથે દેશભક્તિના જોશમાં તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. અલીપુરા ચોકડીથી લઈને તેમના નિવાસસ્થાન ડોરમાર વસાહત સુધીના માર્ગ પર બાઈક અને કારના વિશાળ કાફલા સાથે ડીજેના તાલે ગુંજતા દેશભક્તિના ગીતો વચ્ચે જાણે કોઈ તહેવાર હોય તેવો ઉત્સવનો માહોલ સર્જાયો હતો, જ્યાં માર્ગમાં ઠેર-ઠેર લોકોએ આ વીર જવાન પર પુષ્પોની વર્ષા કરીને તેમની રાષ્ટ્રસેવાને બિરદાવી હતી. આ પ્રસંગે નિવૃત્ત જવાન કમલેશભાઈ રાઠવાએ ખૂબ જ ગૌરવ અને વિનમ્રતા સાથે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જે યુવાનો ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવા ઈચ્છે છે તેમને તેઓ હંમેશા માર્ગદર્શન અને જરૂરી તમામ મદદ પૂરી પાડશે, સાથે જ તેમણે એવી ઉમદા આશા વ્યક્ત કરી હતી કે વિસ્તારના યુવાનો સખત મહેનત કરી સેનામાં તેમના કરતા પણ ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચીને દેશ અને સમાજનું નામ રોશન કરે.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
166
Next
»
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
MORBI JETPAR : ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાએ જાતે જ આંદોલન છાવણી છોડી!