ઉદઘાટન પહેલા ગૌતમ અદાણીની નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સમીક્ષા
મુંબઈના નવા ગ્રીનફિલ્ડ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) ના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બુધવાર, ૮ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજગૌતમ અદાણીએ તેની અંતિમ તૈયારીઓની વ્યાપક સમીક્ષા અને વ્યક્તિગત વોકથ્રુ માટે પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાનઅદાણી ગ્રુપના ચેરમેને એરપોર્ટનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું, જે એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદવાર્ષિક ૯ કરોડ મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવશે.આ ક્ષમતાતેને વિશ્વના સૌથી મોટા અને સૌથી અદ્યતન એરપોર્ટમાં સ્થાન આપશે.
ટેકનિકલ પ્રગતિ અને ઓપરેશનલ તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉપરાંતશ્રી અદાણીએ એરપોર્ટને કાર્યરત બનાવનારા લોકો સાથે દિવસ વિતાવ્યો.તેમણે ગ્રુપના વિઝન પર વિશ્વાસ મૂકતા જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓ ફક્ત સ્ટીલ અને કાચથી જ નહીં, પરંતુ માનવીય ભાવનાઓ અને હેતુથી બનાવવામાં આવે છે.
ગૌતમ અદાણીએ બાંધકામ કામદારો સાથે વાતચીત કરીને તેમની અત્યાર સુધીની યાત્રાને સમજી, વિઝનને વાસ્તવિકતામાં ફેરવનારા ઇજનેરો અને પ્રોજેક્ટ ટીમોને પણ તેઓ મળ્યા.સલામતીમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારવા માટે અગ્નિશામક કર્મચારીઓ સાથે જોડાયાઅને ટર્મિનલના રિટેલ આઉટલેટ્સમાંના એકમાં દિવ્યાંગ કર્મચારીઓ સાથે સમય વિતાવ્યો – જે NMIA ની સમાવેશી અને તક પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
આ મુલાકાત બદલ તેમણે કહ્યું, “અહીંના દરેક રનવે, દરેક ટર્મિનલ અનેદરેક ગેટ પર હજારો હાથ અને હૃદયની છાપ છે. આ એક એરપોર્ટ જ નહીં, ભારતની ભાવનાઓનું સ્મારક છે, જે તેના લોકો દ્વારા, તેના લોકો માટે બનાવવામાં આવ્યું છે.”
8 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન દ્વારા તેના ઔપચારિક ઉદ્ઘાટન પહેલાં તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IATA: NMI) મુંબઈમાં મુસાફરોની ભીડ ઓછી કરવા, આર્થિક વિકાસને વેગઆપવા અને ભારતના ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે સેવા આપવા તૈયાર છે – જે ભારતની મહત્વાકાંક્ષા, સહયોગ અને વિશ્વાસની દીવાદાંડી છે.