NATIONAL

ભારત-રશિયાએ કામદારોના ઈમિગ્રેશન, યુરિયા ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા, મેડિકલ શિક્ષણ, શિપ બિલ્ડિંગ સહિત સાત કરાર કર્યા

નવી દિલ્હી : ભારત અને રશિયાએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દંડ સ્વરૂપે લગાવેલા ટેરિફ અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોથી સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા શુક્રવારે બંને દેશ વચ્ચે આર્થિક અને વ્યાપારિક ભાગીદારી મજબૂત કરવા પંચવર્ષીય યોજના પર સહમતી વ્યક્ત કરી છે. આ યોજના હેઠળ બંને દેશોનો દ્વિપક્ષીય વેપાર હાલના વાર્ષિક ૬૪ અબજ ડોલરથી વધારીને વાર્ષિક ૧૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય છે. પ્રમુખ પુતિનના આ પ્રવાસમાં ભારત-રશિયાએ કુલ ૧૯ કરાર કર્યા છે. વધુમાં રશિયા સાથે સંબંધો તોડવા ભારત પર પ્રમુખ ટ્રમ્પના ભારે દબાણ છતાં ભારત-રશિયાની શિખર મંત્રણા પછી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે અનેક ઉથલ-પાથલ અને ભૂ-રાજકીય તણાવો વચ્ચે પણ આઠ દાયકાથી વધુ જૂની ભારત-રશિયાની મિત્રતા ધૂ્રવ તારા સમાન અડગ અને અચળ છે. રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દબાણ છતાં રશિયા ભારતને ફ્યુઅલનો પૂરવઠો અવિરત ચાલુ રાખશે.

Back to top button
error: Content is protected !!