BANASKANTHAPALANPUR
ગઢમાં વાલ્મિકી સમાજના સંતનું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરવામાં આવ્યું
15 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર તાલુકાના ગઢ ગામે બનાસકાંઠા જિલ્લા ધાન્ધાર વાલ્મિકી સમાજના સ્વ.આગેવાનના સ્મરણાર્થે ગઢ વાલ્મિકી સમાજ દ્રારા આયોજીત સામાજિક નાતવરા – સમાજ દર્શન સમારોહમાં પધારેલા સંત શિરોમણી વિરમગામ ગુરુ ગાદીપતિ સંતશ્રી કેશવલાલ મહારાજનું ગઢના વિવિધ રાજકીય – સામાજિક અગ્રણીઓ દ્રારા શાલ – ફુલહારથી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ અંગે અમૃતભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.