GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
		
	
	
Rajkot: રાજકોટ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક ૧૯ એપ્રિલે યોજાશે

તા.૪/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા / શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેકટર કચેરીના પહેલા માળે આવેલા સભાખંડમાં તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે. આ બેઠકમાં આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા, પુરવઠા અને વહેંચણી, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના, રાજકોટ જિલ્લામાં આવેલી વાજબી ભાવની દુકાનોની સંખ્યા, વિતરણ, તપાસ અને સ્થળ ફેરફાર, ઇ-કે.વાય.સી. કામગીરી સહીતની બાબતે ચર્ચા કરાશે. બેઠકમાં સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહેવા જિલ્લા પુરવઠા કચેરીની યાદીમાં જણાવાયું છે.
				

