NATIONAL

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ધડાકો થશે : સુપ્રિયા સુલે

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ વચ્ચે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ મોટો દાવો કર્યો છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે આગામી 15 દિવસમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ધડાકો થશે. એક દિલ્લી અને બીજો મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઘટસ્ફોટ થશે. અજિત પવાર ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે ત્યારે જ સુપ્રિયા સુલેએ આ મોટો દાવો કર્યો છે.

અજિત પવાર ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે જ્યારે સુપ્રિયા સુલેને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, આ સવાલ અજિત પવારને જ પૂછવો જોઈએ. મારા પાસે ગપસપ કરવા માટે ખોટો સમય નથી. જનપ્રતિનિધિ તરીકે મારા પાસે બીજા પણ ઘણા કામો છે. અજિત પવાર અંગે મારા પાસે કોઈ જાણકારી નથી. ઉદ્ધવ જૂથના નેતાના દાવા બાદ મહારાષ્ટ્રમાં એવી અટકળો ચાલી રહી છે કે અજિત પવાર આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે.

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના પુણેમાં શરદ પવાર અને સુપ્રિયા સુલેએ એક રેલી કરી હતી જેમાં અજિત પવાર ગેરહાજર રહ્યાં હતા. આ રેલી બાદ એવી અટકળો ચાલી રહી છે કે અજિત પવાર હવે ભાજપમાં જોડાશે. જો કે સુપ્રિયા સુલેએ એ પણ સ્પષ્ટતા કરી છે કે અજિત પવાર આ રેલીમાં કેમ નહોતા જોડાયા. મીડિયા સાથે વાતચીતમાં સુપ્રિયા સુલેએ એ પણ વાતની સ્પષ્ટતા કરી છે કે. અજિત પવાર નારાજ નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!