DAHODDEVGADH BARIAGUJARAT
ધાનપુર તાલુકામા ખનિજ માફિયા બેફામ સરકારી ખજાનો રાત્રીના સમયે JCB મશીનથી જમીન માંથી બહાર કાઢી દિવસના સમયે સગે વગે કરતા હોવાનું સામે આવ્યું

તા.૧૧.૦૧.૨૦૨
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De:bariya:દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામા ખનિજ માફિયા બેફામ સરકારી ખજાનો રાત્રીના સમયે JCB મશીનથી જમીન માંથી બહાર કાઢી દિવસના સમયે સગે વગે કરતા હોવાનું સામે આવ્યું
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો હરખપુર ગામ અને વાંકોટા ગામની સિમની અંદર જમીન માંથી ખોદેલ સરકારી ખજાનો એટલે સફેદ પથ્થરનો ઢગલો જોવા મળતા ગ્રામ જનોમા ચર્ચાનો વિષય બન્યો હતો.ત્યારે ગામના જાગૃત ગ્રામ જનો દ્વારા સ્થળ ચકાસણી કરતા સ્થળ પર સફેદ પથ્થરના ઢગલા તેમજ સફેદ પથ્થર જમીન માંથી બહાર કાઢવામાં અત્યંત મદદ કરતી JCB મશીનના પાટ્સ જોવા મળ્યા હતા.જેમાં ખનીજ માફિયા રાત્રી દરમિયાન સફેદ પથ્થર જમીન માંથી બહાર કાઢી દિવસમા સગે વગે કરતા હોવાનું સ્પષ્ટ જોવા મળેલ છે



