સાગબારાના ખોપી ગામના કોકિલાબેન ખેતીના પૂરક વ્યવસાય “પશુપાલન” માં ખૂંપી ગયા,
દૂધ-વર્મીકંપોસ્ટના વેચાણથી વાર્ષિક રૂ. ૧૭.૪૦ લાખની કમાણી કરતી કોકિલાબેનનો વિકસિત રાષ્ટ્ર-કુટુંબના આર્થિક નિર્માણમાં સિંહફાળો,

સાગબારાના ખોપી ગામના કોકિલાબેન ખેતીના પૂરક વ્યવસાય “પશુપાલન” માં ખૂંપી ગયા,
વાત્સલ્ય સમાચાર સાગબારા
જેસિંગ વસાવા
દૂધ-વર્મીકંપોસ્ટના વેચાણથી વાર્ષિક રૂ. ૧૭.૪૦ લાખની કમાણી કરતી કોકિલાબેનનો વિકસિત રાષ્ટ્ર-કુટુંબના આર્થિક નિર્માણમાં સિંહફાળો,

ખેતી અને પશુપાલન ભારતીય લોકજીવનના અર્થતંત્રની જીવાદોરી સમાન છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જેઓ આજીવિકા માટે ખેતી-પશુપાલન પર ખાસ નિર્ભર રહે છે. પશુપાલન અને ખેતી એક સિક્કાના બે પાસા છે. “જેટલી મહેનત કરો તેટલું ફળ મળે”… ખેતી સંલગ્ન પશુપાલન ખેડૂતોના આર્થિક આજીવિકા કમાણીનું મહત્વનું અંગ છે. મહિલાઓને ઘરે બેઠા સ્વરોજગારી મેળવી આર્થિક પગભર બને તે માટે રાજ્ય સરકારે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમાં પશુપાલન-ખેતી મુખ્ય છે. તે કોઈપણ સરળતાથી કરી શકે છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ખેતી-પશુપાલન જેવા ગ્રામીણ આજીવિકા પર વિશેષ ભાર આપી રહ્યું છે.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના કોકિલાબેન વસાવા ખેતીના પૂરક વ્યવસાયમાં ખૂંપીને પશુપાલન થકી પગભર બનીને ઉન્નત મસ્તકે આર્થિક કમાણી સાથે જીવન જીવી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, અમારું કુટુંબ ખેતી સાથે સંકળાયેલુ છે, વર્ષ ૨૦૧૬-૧૭ થી હું પશુપાલનમાં જોડાઈ છું. આર.સી.ટી. તેમજ મિશન મંગલમના સહયોગથી પશુપાલન અંગે દસ દિવસીય તાલીમ મેં પ્રાપ્ત કરી હતી. એક ગાય અને એક ભેંસથી પશુપાલન વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં માસિક આવક રૂ. ૭ હજારની જ હતી. દૂધ ધારા ડેરીમાં જોડાયા બાદ ત્યાંથી પણ મને પશુધન પ્રાપ્ત થયા છે. ધીમે-ધીમે મેં પશુધનમાં વધારો કર્યો અને આજે મારી પાસે ૧૯ ગાયો અને ૧૦ ભેંસો છે.
કોકોલાબેન વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં વધુમાં ઉમેર્યુ કે, આજે હું ગૌરવભેર જીવન જીવી રહી છું. માસિક રૂ. ૧.૨૦ લાખની આવક માત્ર પશુપાલન વ્યવસાયથી જ મેળવી રહી છુ. હું પોતે તો પગભર બની જ છુ, પરંતુ મારા પરિવારની નાની મોટી આર્થિક જરૂરિયાત પરિપૂર્ણ કરવા પણ આજે સક્ષમ બની છુ. પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય ગણાવતા શ્રીમતી વસાવાએ વધુમાં જણાવ્યું કે, વર્મી કંપોસ્ટ ખાતરનું વેચાણ કરીને પણ હું વાર્ષિક રૂ. ૩ લાખની પૂરક આવક મેળવી રહી છું. મિશન મંગલમના માર્ગદર્શન અને સહાયથી મારુ જીવન આજે બદલાયું છે. સરકારનો આભાર વ્યક્ત કરતા તેઓએ ભવિષ્યમાં ૫૦ ગાયો અને ૫૦ ભેંસો સુધીનો લક્ષ્ય સર કરવાનો સંકલ્પ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, લખપતિ એટલે એવી મહિલા કે જેમની વાર્ષિક આવક ઓછામાં ઓછી લાખ રૂપિયા હોય અને તેઓ પોતાની જરૂરિયાત માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન રહેતા જાતે આવક મેળવે.. પરંતુ આજે કોકિલાબેન માસિક રૂ. ૧.૨૦ લાખની આવક પ્રાપ્ત કરીને કુટુંબ સહિત વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં પોતાની સક્રિય ભાગીદારી અદા કરી રહ્યા છે. લખપતિ દિદી બની આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી અન્ય મહિલાઓને પ્રેરણા આપીને શ્રીમતી વસાવાએ જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે.
Box
.*ગુજરાત રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં નર્મદા જિલ્લાનો સહયોગ,*
વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રત્યેક ક્ષેત્રમાં જુદા-જુદા ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ હાંસલ કરી આર્થિક પગભર બને તે જરૂરી છે. મહત્વપૂર્ણ છે. ભારતના અર્થતંત્રને મજબુતી પ્રદાન કરી પશુપાલન ક્ષેત્રે અવિરત સિદ્ધિઓ વિકસિત ગુજરાત, ભારતની પ્રતિતિ કરાવી રહી છે. ભારત દેશ દૂધ ઉત્પાદનમાં વૈશ્વિક કેન્દ્રબિંદુ બન્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય પણ તેમાં ૭.૪૯ ટકા જેટલુ યોગદાન આપી રહ્યું છે. અમૂલ ડેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. નોંધનિય છે કે, ગુજરાત આજે વાર્ષિક ૧૭૨.૮૦ લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન કરે છે, દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. જેમાં નર્મદા જિલ્લાની સહભાગીદારી પણ નોંધનીય છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો ૧.૭૭ લાખથી વધુ ગાયવર્ગ અને ૭૬ હજારથી વધુ ભેંસવર્ગ તેમજ ૮૯ હજારથી વધુ બકરા છે. એમ કુલ નર્મદા જિલ્લામાં અંદાજિત ૩.૪૪ લાખ
જેટલું પશુધન છે.




