એલ.વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા મુકામે અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ
16 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી એલ.વી. નગરશેઠ હાઈસ્કૂલ સમૌ મોટા મુકામેગત વર્ષે આ સમયે જ આ શાળામાં 250 વૃક્ષો નું વાવેતર RSS ની પર્યાવરણ ગતિવિધિ અને સમૌ શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરી માસમાં ડીસા બાગાયત વિભાગ ના અધિકારી શ્રી રમેશભાઇ ચૌધરી ,RSS અને શાળાના NSS યુનિટ દ્વારા 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે શાળાના 350 વિદ્યાર્થીઓ ને એક આંબો ઘરે વાવીને વૃક્ષ નારાયણ ની પધરામણી કરી હતી.આ વખતે શ્રી ચિમનભાઈ પટેલ કૃષિ મહાવિદ્યાલય દાંતીવાડા તથા કુલપતિ શ્રી આર.એમ.ચૌહાણ સાહેબ અને તેમની સમગ્ર ટીમ ના સહયોગ થી 710 ફળાઉ રોપા નિઃશુલ્ક આપવામાં આવ્યા.અમારી શાળા ના NSS યુનિટ અને શાળા પરિવાર દ્વારા અલગ પહેલ કરવામાં આવી જેમાં વૃક્ષપ્રેમી વાલીઓ અને ખેડૂતો ની 170 ની યાદી બનાવી અને દરેક ના ઘરે બે કે ત્રણ ફળાઉરોપાઆપવાનુંનક્કીકર્યું.જેમાંકલમીઆંબો,જામફળ,ચીકુ,રાયણ,ફાલસા,લીંબુ,આંબલી ,બોરડી જેવા વૃક્ષ આપવામાં આવ્યા.શાળાના પ્રધાનાચાર્ય શ્રી નટુભાઈ જોષીએ પ્રકૃતિ પૂજન કરી જીવન માં વૃક્ષો નું મહત્વ અને દરેક ને આ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરાવ્યો.દાંતીવાડા યુનિવર્સિટી ના સાથ સહકાર ને અને શાળા પરિવાર ના અથાક પરિશ્રમ ને સંચાલક મંડળે અને વૃક્ષપ્રેમીઓ એ જનજાગરણ ના આ કાર્યક્રમ ને બિરદાવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.