VALSADVALSAD CITY / TALUKO

પુસ્તક પરબમાં વલસાડમાંથી 138 પુસ્તકોને વાચકો મળ્યા

વલસાડ: તા: ૦૪ સપ્ટેમ્બર

પુસ્તક પરબ વલસાડનો આ 19મો મણકો વરસાદી માહોલમાં જાહેર જગ્યાએ નિયમિત રીતે યોજાયો. સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા એસ. ટી. વર્કશોપની સામેની તરફ ક્રોમાની બાજુમાં ફૂટપાથ પર એમ બે સ્થળે પુસ્તક પરબ યોજાઈ હતી. જેમાં વલસાડ શહેરના પુસ્તક વાંચકોને વિવિધ પુસ્તકો મળી રહ્યા હતા તેમજ કાર્યક્રમમાંથી વાચકો 138 પુસ્તકો લઈ ગયા હતાં. પુસ્તક પરબની લગભગ 100 થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

પ્રોજેક્ટ ચેરપર્સન ડૉ. આશા ગોહિલ તથા ટીમ હાર્દિક પટેલ, અર્ચના ચૌહાણ, હંસા પટેલ, જયંતીભાઈ મિસ્ત્રી, દેવરાજ કરદાની  દ્વારા આયોજન કરાયું હતું. પરબમાં વાચક સુનિતા ઢીમર (નવજીવન માધ્યમિક શાળા, બહેજ તા. ચીખલી) અને અન્ય વાચકોની પણ મદદ મળી હતી. હરહાલમાં દર મહિનાના પ્રથમ રવિવારે અનુકૂળ જગ્યાએ પુસ્તક પરબ યોજાશે. જેની વાચકોએ સહર્ષ નોંધ લેવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!