સાબરકાંઠા ના ઈડર માં શહેર ટ્રાફિક સમસ્યા દૂર કરવા તજવીજ હાથ ધરાઈ
ગરીબોના ઘરમાં નથી ટીપુ તેલ દોહલ્યું ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે ઠીક આવી જ કહેવત
ગરીબોના ઘરમાં નથી ટીપુ તેલ દોહલ્યું ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે ઠીક આવી જ કહેવત આજે સાબરકાંઠામાં ઈડર નગર પાલિકા દ્વારા લારી ગલ્લા અને પાથરણાં વાળાઓ માટે સાચી સાબિત થઈ છે ઇડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આજે વહીવટી તંત્ર દ્વારા તખલગી નિર્ણય કરી લારી ગલ્લા અને પાથરણા વાળાઓને તાત્કાલિક જગ્યા ખાલી કરાવતા રોજની કમાણી થકી પેટીયુ રળતા કેટલાય લોકો માટે વામણો પુરવાર થયો છે…
સામાન્ય રીતે અમીરોને હજારો ગુના માપ પણ ગરીબોને સામાન્ય ગુનો પણ ફાંસીની સજા સુધી પહોંચતો હોય છે ત્યારે કંઈક આવો જ નિર્ણય સાબરકાંઠાની ઈડર નગરપાલિકા દ્વારા લેવાતા કેટલાય લોકો માટે પ્રતિ દિવસ મહેનત મજૂરી કરી પેટીયુ રણનારા લોકો માટે વારે પરેશાની નો સમય આવ્યો હોય તેમ છે ઈડર નગરપાલિકા દ્વારા આજે બસ સ્ટેન્ડ વિસ્તારથી લઈ સત્યમ ચોકડી સુધી ના રોજિંદી કમાઈ થી જીવન ગુજારનારા લોકો માટે ભારે પરેશાની સર્જાઈ છે. ઈડર વહીવટી તંત્ર દ્વારા આજે બાઈક તેમજ ટ્રાફિક નડતર મામલે દંડનીય કાર્યવાહી કરી કેટલાય લોકોના રોજિંદા પ્રશ્નને આમંત્રણ અપાય હોય તેમ છે જોકે સ્થાનિક વહીવટી અધિકારી દ્વારા કાયદાની મત મોટી વાતો થાય છે ત્યારે ટ્રાફિક સમસ્યાના બહાને કેટલાય લોકોને રોજગારીથી દૂર પડશે લાઇ મસ મોટી કામગીરી કરી હોય તેવો અહેસાસ કરી રહ્યા છે..
જોકે સૌથી મોટી વાત તો એ છે કે આજે સામાન્ય લોકો માટે રોજગારીની તાતી જરૂરિયાત છે એક તરફ રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર છેવાડાના વ્યક્તિ ને પગભર કરવા માટે કેટલીય યોજનાઓ થકી વિકસિત ભારતની કલ્પનાઓ રજૂ કરી રહ્યું છે તો બીજી તરફ દૈનિક મજૂરી થતી આર્થિક દ્રષ્ટિએ પરિવારનો બોજ ઉઠાવી દિવસો ટૂંકા કરનારા વર્ગ માટે તંત્ર જાણી કે બે રહેમ બની હોય તેવો ઘાટ ઇડરમાં સર્જાયો છે આજે ઈડરના કોલેજ રોડથી લઈ બસ સ્ટેન્ડ તેમજ સત્યમ ચોકડી સુધીના વિસ્તારને ટ્રાફિક સમસ્યા દૂર કરવાના બહાને ખાલી કરાવવા આવ્યો છે જોકે વૈકલ્પિક વ્યવસ્થા જાણે કે તંત્ર દ્વારા વિસરાઈ જવામાં આવ્યું હોય તેમ પાયારૂપ બાબત ભૂલીને આડેધડ લારીગલના તેમજ પાછળના દૂર કરાયા છે જોકે સૌથી મોટી ટ્રાફિકની અડચણતો આજે પણ ઈડરમાં આડેધડ બંધાયેલા કોમ્પલેક્ષો તેમજ દુકાનોના છે જે દૂર કરવા માટે તંત્ર ને મોટા આકાઓની પરમિશન ન હોય તેમ આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ છે તો બીજી તરફ ગરીબો માટે આજે પણ તેમના માટે રોજગારીનો પ્રશ્ન યથારો કહ્યું છે આ મામલે સ્થાનિકોમાં પણ ભારે રોષ સર્જાયું છે…
જયંતિ પરમાર સાબરકાંઠા