ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ૩૦ જાન્યુઆરી ના રોજ રક્તપિત નાબૂદી અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતભરમાં રેલી યોજી રક્તપિત વિશે લોકોને જાગૃત કરવા માટે નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના મુજબ આજરોજ શિનોર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ડી ડી ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી માં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ.આઇ ટી આઇ શિનોર નાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા .
ફૈઝ ખત્રી.. શિનોર