LUNAWADAMAHISAGAR

જિલ્લા ચૂંટણી અધિકારીની  ઉપસ્થિતિમાં લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા 

જિલ્લા ચૂંટણી અધિકારીની  ઉપસ્થિતિમાં લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વૃક્ષારોપણ કરી પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારો મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા

લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં ૭ મી મે ૨૦૨૪ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે આજ રોજ જિલ્લા ચુંટણી અધિકારી  નેહા કુમારીએ વૃક્ષારોપણ કરી પેહલી વખત મતદાનનો ઉપયોગ કરનાર યુવા મતદારોને ચૂંટણીનું મહત્વ સમજાવી મતદાન અવશ્ય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

યુવા મતદારોમાં ‘મતદાનની નૈતિક ફરજ’નો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના આ પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોઓએ દેશહિતમાં “હું અવશ્ય મતદાન કરીશ” એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા. પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુવા મતદારોએ વોટ ફોર મહીસાગર આકારમાં વૃક્ષારોપણ કરી પોતાના પેહલા વોટ કરવા જવાનો ઉત્સાહ બતાવ્યો હતો.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!