BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે ભગવાન શ્રી રામચંદ્ર ની શોભાયાત્રા નીકાળવામાં આવેલ

31 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા,

રામનવમીના દિવસે પાલનપુર માં બપોરે 2 કલ્લાકે શ્રી ભગવાન રામજી ની વિશાલ શોભા યાત્રા પાલનપુર ના તમામ મુખ્ય માર્ગો થી નીકળી હતી,, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો અને શ્રી રામ સેવા સમિતિના તમામ સભ્યો તેમજ વિશ્વહિન્દૂ પરિષદ બજરંગ દલ ના લોકો અને પાલનપુર ના તમામ હિન્દૂ સંગઠનો ના લોકો અને આગેવાન મોટી સંખ્યામાં જોડાયા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રી રામ ભગવાનજી ની વિશાલ શોભા યાત્રા નીકળી હતી રામજી મંદિર ના મુખ્ય મહંત શ્રી શ્રી 1008 રાઘવદાસજી તેમજ અલગ અલગ મંદિરોના સાધુ સંતો મહંતો પણ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો સમગ્ર પાલનપુર શહેર આજ રોજ ભગવા રંગ માં રંગાઈ ગયો હતો તેમજ પાલનપુર ના મુખ્ય માર્ગો પર રામભક્તો દ્વારા શોભા યાત્રા નું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ફૂલોથી અલગ અલગ હારમાલા થી સરબત થી ઠંડા પાણી થી વિવિધ ગુલાલ થી તેમજ ફટાકડાથી પણ લોકો દ્વારા શોભા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શિમલા ગેટ પવન ફૂટવેર પાસે સ્વામી લીલાશાહ પાણી પરબ પાસે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી પરાગભાઈ સ્વામી દિનેશભાઈ શર્મા હરિભાઈ વિષ્ણુ મહારાજ દ્વારા શોભાયાત્રા નું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!